Posts

Showing posts from May 3, 2019

બાળમૈત્રી : નુતન પુસ્તક વર્ષ ૨૦૧૮-૧૯

Image
વર્ષ ૨૦૧૮ ની વ્યસ્તતાની વચ્ચે પણ માથાસુલીયા પ્રાથમિક શાળાના બાળકોની સર્જનાત્મકતાને પાંગરવા માટે મોકળું મેદાન અવશ્ય મળી રહ્યું. જેના ફળ સ્વરૂપ આ વર્ષે પણ તેમનાં મન વિશ્વ માં અનુભવાયેલ પરિબળોને તેઓ વાર્તા અને કવિતા સ્વરૂપે રજુ કરી શક્યા. 'બાળમૈત્રી' એ અમારું નવું નજરાણું નહિ પરંતુ અમારી પરમ્પરાની શ્રેણીનો એક નુતન મણકો છે. જેમાં આપ ને મળશે બાળકોની રંગીન દુનિયાની ઝાંખી, તેમના સાવ સરળ અને અનુભવહીન તેમ છતાં યાદગાર પ્રયત્નોની નોધ, તેમની ઉર્મીઓને પાંગરતી વેલ. આ પુસ્તકમાં રહેલી કવિતાઓ અને વાર્તાઓ કોઈ લેખકની બરાબરી ક્યારેય નહિ કરી શકે પરંતુ હજારો લેખકોની બધી વાર્તાઓ અને કવિતાઓ કરતા આ નિર્દોષ શબ્દો અમારા બાળકોને મન સર્વોત્તમ અને જીવનભરનું સંભારણું છે તેમાં કોઈ બે મત નથી.  આ પુસ્તક સમાજને અર્પણ કરતા આનંદ અને ગૌરવ અનુભવીએ છીએ. 

વિદાય સમારંભ

તા. 3/૦૫/૧૯ આજ રોજ માથાસુલીયા પ્રાથમિક શાળા ખાતે ધોરણ 8 નાં બાળકોનો વિદાય સમારંભ રાખવામાં આવ્યો હતો. જેમાં બાળકોના વાલીઓ ની સાથે બેઠક કરીને તેમની પ્રગતિ થી માહિતગાર કર્યા હતા. વાલીઓને બાળકોના આગળના ભવિષ્ય બાબતે પણ ચર્ચા કરવામાં આવી હતી. આચાર્યશ્રી રાકેશભાઈ પટેલે તેમને બાળકોના હવે પછીના શૈક્ષણિક કેરિયર વિષે વાત કરીને શૈક્ષણિક સિદ્ધી જાળવી રાખવા વિનંતી કરી હતી. આ સાથે જ માથાસુલીયા પ્રાથમિક શાળાના આ વર્ષના પુસ્તક 'બાળમૈત્રી'નું વિમોચન કરવામાં આવ્યું હતું. આ પુસ્તક બાળકોની વાર્તાઓ અને કવિતાઓને પ્રગટ કરે છે. આ સાથે જ બાળકોને તેમની ખાસ સિધ્ધિ બદલ ઇનામ આપીને પ્રોત્સાહિત કર્યા હતા. ત્રણ બાળકોને શ્રેષ્ઠ વિદ્યાર્થીના ઇનામ પ્રાપ્ત થયા હતા.  ભાઈઓ - પરમાર હર્ષદસિંહ જગતસિંહ   બહેનો - પરમાર મમતાબેન વિનોદસિંહ                પરમાર હિરલબેન અરવિંદસિંહ  તમામ બાળકોને તેમના તેજોમય ભવિષ્યની શુભેચ્છાઓ.