વિદાય સમારંભ

તા. 3/૦૫/૧૯


આજ રોજ માથાસુલીયા પ્રાથમિક શાળા ખાતે ધોરણ 8 નાં બાળકોનો વિદાય સમારંભ રાખવામાં આવ્યો હતો. જેમાં બાળકોના વાલીઓ ની સાથે બેઠક કરીને તેમની પ્રગતિ થી માહિતગાર કર્યા હતા. વાલીઓને બાળકોના આગળના ભવિષ્ય બાબતે પણ ચર્ચા કરવામાં આવી હતી. આચાર્યશ્રી રાકેશભાઈ પટેલે તેમને બાળકોના હવે પછીના શૈક્ષણિક કેરિયર વિષે વાત કરીને શૈક્ષણિક સિદ્ધી જાળવી રાખવા વિનંતી કરી હતી. આ સાથે જ માથાસુલીયા પ્રાથમિક શાળાના આ વર્ષના પુસ્તક 'બાળમૈત્રી'નું વિમોચન કરવામાં આવ્યું હતું. આ પુસ્તક બાળકોની વાર્તાઓ અને કવિતાઓને પ્રગટ કરે છે. આ સાથે જ બાળકોને તેમની ખાસ સિધ્ધિ બદલ ઇનામ આપીને પ્રોત્સાહિત કર્યા હતા. ત્રણ બાળકોને શ્રેષ્ઠ વિદ્યાર્થીના ઇનામ પ્રાપ્ત થયા હતા. 


ભાઈઓ - પરમાર હર્ષદસિંહ જગતસિંહ  

બહેનો - પરમાર મમતાબેન વિનોદસિંહ

               પરમાર હિરલબેન અરવિંદસિંહ 


તમામ બાળકોને તેમના તેજોમય ભવિષ્યની શુભેચ્છાઓ.  



Comments

Popular posts from this blog

બાળમેળો અને જીવન કૌશલ્ય મેળો

જન્માષ્ટમી ઉજવણી

એકપાત્રીય અભિનય