બાળદર્પણ - વર્ષ ૨૦૨૧-૨૨

 શાળા એ બાળકોને અનુભવો પૂરી પાડતી એક આગવી પ્રયોગશાળા છે. અહીંયા આપણું બાળક દરેક પ્રકારના નુભાવો મેળવતા મેળવતા વિકસે છે અને શાળા તેના વિકાસ માટેની દરેક પ્રવૃત્તિઓને પુરતો અવકાશ આપે છે.

આ બાળકો માટે જ માથાસુલિયા પ્રા. શાળા દ્વારા વર્ષ ૨૦૧૦ થી દર વર્ષે વાર્તા અને કવિતાનું પુસ્તક પ્રકાશિત કરવામાં આવે છે. બાળકો દ્વારા લિખિત આ વાર્તાઓ અને કવિતાઓ ભલે કાળી-ઘેલી ભાષામાં હોય પરંતુ તેની ભાવના અને વિચારોને પ્રગટવા માટે આ પુસ્તક એક આંગણું પૂરું પાડે છે. આ બાળકોની લેખન શૈલી કે તેમની કૃતિઓ ભલે કોઈ ખાસ સાહિત્યિક અસર ન ધરાવતી હોય પરંતુ તે કૃતિઓ કોઈ પુસ્તકમાં પ્રકાશિત થવી એ તેમના જીવન ઉપર ખાસ અસર ધરાવે છે.

પોતાના પાઠ્યપુસ્તકમાં કવિઓ અને લેખકો વિષે ભણતા બાળકો જ્યારે લેખકના મનોજગતમાં પ્રવેશવાનો પ્રયત્ન કરે એ જ તેમના માટે સૌથી મોટો અને મહત્વનો અનુભવ કહી શકાય. આ બાળક ભલે સાવ ટૂંકી કે અણઘડ કૃતિ રજુ કરે, પરંતુ તેના દ્વારા સર્જાયેલી દરેક કલ્પના અને તેની મૌલિકતા તે બાળકોના સર્જન માટેનું પહેલું પગથીયું છે.

માથાસુલીયા પ્રા. શાળાના ધોરણ ૮ ના બાળકો દ્વારા લિખિત આ કવિતાઓ અને વાર્તાઓના પુસ્તકને વિશાળ દરિયામાં અમૃતબિંદુ સમાન જોઈ શકું છું. મને આશા છે કે આ બાળકોની કૃતિઓ તેમને આવનારા સમયમાં વધુ લેખન અને સર્જન માટે પ્રેરણા આપતી રહેશે.

બાળકોના ઉત્તમ ભવિષ્યના શુભાશિષ સાથે આ શબ્દોનો ગુલાલ વહેતો મુકું છું.

હિરેન મહેતા

Comments

Popular posts from this blog

બાળમેળો અને જીવન કૌશલ્ય મેળો

જન્માષ્ટમી ઉજવણી

એકપાત્રીય અભિનય